એક નગર.અહીં એક રાજા.રાજાનું નામ રાજદીપસિંહ. નગરનું નામ રાજ નગર.અહીં એક માણસ નોકરી
માટે આવે છે.રાજા સામે એને ઊભો કરવામાં આવે છે.સામે ઊભેલો જોઈ રાજા આ માણસ ને તેની
લાયકાત અંગે પૂછે છે.
આ આવનાર માણસનું નામ હુકુમ. રાજાએ તેને નામ પૂછતાં તેણે તેના નામ અંગે ચોખવટ કરી હતી.રાજા
કહે: હુકુમ,હું તમને નોકરીએ કેમ રાખું? આ સાંભળી હુકુમ કહે: સરકાર…નામદાર… હું અવલોકન
કરવામાં પાવરધો છું. કોઇ પણ જાતનો કોયડો ઉકેલી શકું છું.અને મેં જોયેલ કે જાણેલ વિગત ને હું સરસ
રીતે સમજાવી શકું છું.’ રાજાએ આ વાત સાંભળી.
રાજા એ આદેશ કરી, હુકુમ ને ધોડાના તબેલા ની જવાબદારી સોંપી.થોડા દિવસો પછી રાજા
રાજદીપસિંહ તબેલામાં ગયા.રાજાએ તેમના મનપસંદ અને સૌથી મોઘા ધોડા બાબતે હુકુમને જણાવવા
કીધું.
જવાબમાં હુકુમ કહે: સરકાર, આ ધોડો અસલી નથી.’ હુકુમ કહે: રાજાજી ભલે તમને આ ઘોડો વધારે
ગમતો હોય પણ…. એ અસલ ઓલાદનો ઘોડો નથી. હુકુમની વાત સાંભળી અને આ ઘોડા અંગે તાપાસ
માટે સૂચના આપી. સૈનિકો એ તપાસ કરાવી.રાજાને માહિતી મળી.રાજદીપસિંહ ને એ ખબર પડી કે
ધોડાની નસલ તો અસલી છે,પરંતુ જનમ આપીને તેની મા મરી ગઈ હતી. રાજાનો આ ઘોડો ગાયને
ધાવીને મોટો થયો હતો.આ બધું જાણી લીધા પછી રાજ હુકુમ ને મળવા ગયા.રાજા રાજદીપસિંહ
કહે:હુકુમ, તને આ વાત કઈ રીતે ખબર પડી? હુકુમે સલામી આપી.નીચે નમી રાજાને
કહે: નામદાર…સરકાર…આપના બધા ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ચાવે છે.આ ધોડો
ગાયની માફક મોઢું નીચું રાખીને ધાસ ખાય છે.
રાજા એ ખુશ થઈને હુકમને ઇનામમાં હુકુમ ને ધરે અનાજ…ધી અને પક્ષીઓનું માંસ મોકલી આપવાની
સૂચના આપી. ઇનામ સાથે રાજાએ ,હુકુમ ને બઢતી આપી.હવે હુકુમ હવે રાણી મહેલમાં નોકરી કરવાનો
હતો.આમ કરતાં કરતાં દિવસો પસાર થતા ગયા. થોડા દિવસ પસાર થયા. રાજ મહેલમાં રાજા અને રાની
બેઠાં હતાં. હુકુમ બહાર ચોકી કરતો હતો. આ સમયે રાજા એ હુકુમ ને રાણી અંગે કોઈ વાત કહેવાની વાત
હુકુમ ને કરી.જવાબમાં હુકુમ કહે: રાણી ની રહેણીકરણી બરાબર.પણ, તે રાજકુમારી નથી. રાજદીપસિંહ
ને આ સાંભળી નવાઈ લાગી. રાજાએ તેમના સાસુને બોલાવી લાવવા સિપાહી ને સૂચના આપી. બીજા
દિવસે સાંજે રાજાના સાસુ આવી ગયાં. રાજાએ હુકુમે કીધેલી વાત તેમનાં સાસુને કરી. સાસુએ એક નવી
જ વાત કરી. રાજાના સાસુ કહે: ‘મણે માફ કરો રાજાજી.મારી દિકરી સાથે આપની સગાઈ થઈ હતી.થોડા
દિવસોમાં તે મરી ગઈ. બીજી માળીની છોકરીને અમે ગોદ લીધી.એ છોકરી આજે આપની મહારાણી છે.’
આ વાત સાંભળી રાજા સીધો હુકુમ પાસે ગયો. રાજા કહે:અરે, હુકુમ તમને કઈ રીતે રાણીની વાત ખબર
પડી? હુકુમ કહે:"રાજ પરિવારના ખાનદાન લોકોનો બીજા લોકો સાથેનો સરળ હોય છે.આવું આ
રાણીમાં નથી.’ આ વાત સાંભળી રાજા ખુશ થયો.
રાજા એ ખુશ થઈને ફરી હુકુમને ધરે અનાજ…ઘેટાં અને બકરાં ઇનામમાં આપીને પોતાના દરબારમાં
હુકુમ ને કાયમી સલાહકાર બનાવી દીધો. થોડા વખત પછી રાજા દરબાર ભરીને બેઠા હતા. વાતવાતમાં
રાજાએ હુકુમ ને પોતાનાં વિષે જાણવાની વાત કરી.હુકુમ કહે:’મહારાજ હું આપને વિષે કહું તો ખરો,પણ
મને વચન આપો કે મને આપ નામદાર સજા ન તો તમારી વાત કરું. રાજદીપસિંહે તેને કોઈ સજા ન
કરવાનું હુકમને વચન આપી દીધું. વચન લઈ ને હુકુમ કહે:જુઓ નામદાર, ના તો આપ રાજા છો. ના તો
તમે રાજા જેવો ભાવ રાખો છો. આ સાંભળી રાજા લાલપીળો થઈ ગયો. પણ રાજાએ સજા ન કરવાનું
વચન આપેલું હતું. રાજા રાજદીપસિંહ સમસમીને બેઠા હતા.રાજા દરબારમાંથી સીધા તેમના પિતા પાસે
ગયા. જઈને પૂછી લીધું. મને એ જણાવો કે હું ખરેખર કોનો દીકરો છું! જવાબમાં રાજદીપસિંહના
પિતાજી કહે: હા,હુકુમની
વાત સાચી છે. આ વાત સાચી વાત છે. મારે કોઇ સંતાન ન હતું. આ કારણે એક ગરીબ કસાઈ પાસેથી
મેં તને ગોદ લીધો છે.એ વાત સાચી કે તું રાજા છે પણ,રાજ કુમાર નથી. રાજાને નવાઈ લાગી. હુકુમ દરેક
વાતમાં સાચો પડતો હતો. રાજા એમના પિતાજી જોડેથી સીધો હુકુમ પાસે ગયો.
હુકુમ દરબારમાં જ હતો. રાજા કહે:’તને મારા અંગેની બધી વાત કેવી રીતે ખબર પડી? રાજા બોલવાનું
પૂરું કરે એ પહેલાં હુકુમ કહે: નામદાર, જો કોઈ કોઈ ને ઇનામ આપે તો… હીરા ,મોતી અને ઝવેરાતના
રૂપમાં આપે છે.તમે મને કાયમ અનાજ,માંસ, ઘેટાં કે બકરાં ઇનામમાં આપો છો.
ખાવા માટે માંસનું ઇનામ એ કસાઈ જ આપે. આપના ઇનામ પણ, કસાઈ જેવા છે.એથી મને થયું કે
આપ રાજા ભલે હોવ, રાજ કુમાર નથી.હુકુમની વાત સાંભળી રાજા ખુશ થયો. આજ સુધીમાં પહેલીવાર
રાજાએ હુકુમ ને સો સોનામહોર ભેટ આપી. હુકુમ રાજી થતો અહીંથી પસાર થઇ સીધો ઘરે ગયો.
Leave A Comment